Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

સાધ્વીરત્ના પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને શ્રધ્ધાંજલિ-ભાવાંજલિ અર્પતા ગોંડલ સંપ્રદાયના આગેવાનો

રાજકોટ, તા.૨૬: શ્રી જંકશન પ્લોટ સ્થા. જૈન ઉપાશ્રયે ગોંડલ સંપ્રદાયના ઝવેર પરિવારના શાસન ચંદ્રિકા પૂ. હિરાબાઈ મહાસતિજી ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. હર્ષિદાબાઈ મહાસતીજી સંથારાના પચ્ચખાણ કરી કાળધર્મ પામેલ. સાધ્વીરત્ના પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીનો ૩૭ વર્ષનો દીક્ષા પર્યાય હતો. તેઓએ કાલાવડ ની ધન્ય ધરા પર દીક્ષા મેળવેલ હતી. આજે તા. ૨૬ ના રોજ સવારે ૯ વાગે સાધ્વીરત્ના પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીની પાલખીયાત્રા જંકશન પ્લોટથી રામનાથપરા ખાતે નીકળી હતી. જેમાં ગોંડલ સંપ્રદાયના ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી તથા મનીષભાઈએ અનશન આરાધિકા પૂ. હર્ષિદાબાઈ મહાસતિજી ને સંપ્રદાય ની પરંપરા મુજબ શૈલુ અર્પણ કરેલ તેમજ કિરીટભાઈ બાટવીયા, કમલેશભાઈ મોદી, મધુભાઈ ખંધાર, જગદીશભાઈ શેઠ, હિતેષભાઈ દોશી, શિરીષભાઈ બાટવીયા, નવનીતભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરૂભગવંતો તથા મહાસતિજીઓનો શોક સંદેશ આવેલ હતો. સાધ્વીરત્ના પૂ. વિશાખાબાઈ મહાસતિજીએ પૂ. સ્વામીની સેવામાં સતત ઉપસ્થિત રહેલ હતા તેમજ તેમણે સંથારો આપેલ હતો. આ સમયે ઈશ્વરભાઈ દોશી, જંકશન પ્લોટ સંઘના હિતેષભાઈ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા. છેલ્લા સવા વર્ષથી જૈનચાલ સંઘના પરેશભાઈ સંઘાણી, સંપ્રદાય વતિ ચંદ્રકાંતભાઈ શેઠ તથા હિતેષભાઈ તથા જયશ્રીબેન શાહ સહિતના ભાવિકોએ સેવા અને વૈયાવચ્ચ કરેલ હતા.

(3:21 pm IST)