Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

એ અહેવાલો અંગે મેં કોઇજ વિડીયો કોન્ફરન્સ કરી નથીઃ પંકજકુમાર

અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે કહ્યુ  ગઇકાલે અકિલા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે અકિલામાં ''કોર્પોરેશનનો મહાભગો  ૨૦૦૦૦ કોરોના ટેસ્ટમાં માર્યો લોચો''  આ અહેવાલ પ્રસિધ્ધ થયો છે. પરંતુ આવી કોઇ વિડીયો કોન્ફરન્સ મે યોજી નથી જેની સ્પષ્ટતા કરવા વિનંતી...

શ્રી પંકજ કુમારની વાત સાચી છે. શરતચુકથી તેમનું નામ પ્રસિધ્ધ થયું છે. તેનો અમને ખેદ છે. વાસ્તવમાં રાજકોટનો કાર્યભાર વહન કરી રહેલ સરકાર નિયુકત અન્ય ઉચ્ચ અધિકારીએ અનેક ઓફીસરોની હાજરીમાં વિડીયો કોન્ફરન્સમાં આ વાત કહી હતી અને આરોગ્ય તંત્રને ટપાર્યું હતુ.

દરમિયાન જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેરમાં કોરોના એન્ટીજન ટેસ્ટ સરકારની ગાઇડ લાઇન મુજબ નહિ પરંતુ ખોટી રીતે થયાનું અનેક અધિકારીઓની ઉપસ્થિતિમાં કહેવાયુ હતુ. પરંતુ આ બાબતે પંકજ કુમારે નહિ સરકાર નિયુકત. અન્ય એક ઉચ્ચ અધિકારીએ રાજકોટના આરોગ્ય તંત્રનો કાન આમળ્યો હતો.

(3:22 pm IST)