Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

બે દિવસ પહેલા જ યુપીથી રાજકોટ જીજાજીને ત્યાં આવેલા ૧૬ વર્ષના રવિનું પડી જતાં મોત

આજીડેમ પાસે માનસરોવરના ઢાળ પર બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: આજીડેમ ચોકડી પાસે માનસરોવર પાર્ક પાસે દેવકીનંદન સોસાયટીમાં યુપીથી બે દિવસ પહેલા જ પોતાના જીજાજીના ઘરે આવેલો રવિ સમજદુખી રાજભર (ઉ.વ.૧૬) સાંજે છએક વાગ્યે દોડીને માનસરોવરના ઢાળ પરથી ઘર તરફ જતો હતો ત્યારે લપસી પડતાં માથામાં ઇજા થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. વર્ષો પહેલા રવિના મોટા ભાઇનું પણ પડી જવાથી મોત થયું હતું. તે હજુ બે દિવસ પહેલા જ યુપીથી અહિ આવ્યો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક રવિને જન્મથી જ હૃદયમાં તકલીફ હતી. આજીડેમના હેડકોન્સ. એસ. જે. બાલાસરા અને હરપાલભાઇ સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:34 am IST)