Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વસંતબેન એન. મોદી ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટ : માતુશ્રી વસંતબેન એન. મોદી મેમોરિયલ ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર, અર્કેડિયા શેર્સ એન્ડ બ્રોકર્સ, થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, રેસકોર્સ પાર્ક પરિવાર, અને જીવદયા ગ્રુપનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ રકતદાન કેમ્પ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાયેલ. આ કેમ્પનું થેલસેમીફ બાળકો પૂજા અને કેવિન ના હસ્તેદિપ પ્રાગટય કરી ઉદઘાટન કરવામાં આવેલ. પ્રસંગે મુકેશભાઇ દોશી, ઉપેનભાઇ મોદી મિહીરભાઇ મોદી, પૂર્વેશભાઇ કોટેચા તથા કૃણાલભાઇ મહેતા, આર્કેડ શેર્સ એન્ડ બ્રોકર્સના સુનિલભાઇ શાહ અને થેલેસેમિયા જાગૃતિ અભિયાન સમિતના અનુપમભાઇ દોશી તથા સુનિલભાઇ વોરા, રેસકોર્સ પાર્ક પરિવારના અને ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલ, જીવદયા ગ્રુપના પારસભાઇ મોદી, વિરેન્દ્રભાઇ સંઘવી, હર્ષદભાઇ મહેતા કાર્યરત હતા. શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના ચેરમેન અને જૈન અગ્રણી અપૂર્વભાઇ મણિયારનો સહયોગ મળેલ.  આ રકતદાન કેમ્પમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીના હસ્તે રકતદાન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ તથા રકતદાન કેમ્પમાં મેયર બીનાબેન આચાર્ય, વોર્ડ નં.રના કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ડોકટર દર્શિતાબેન શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.રના પ્રમુખ અતુલભાઇ પંડિતના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ. કેમ્પને સફળ બનાવવા માટે જીવદયા ગ્રુપના પારસ મોદી, વિરેન્દ્ર સંઘવી, હર્ષદ મહેતા, કમલેશ મોદી, પ્રકાશ મોદી, કિર્તી દોશી, અમિત દેસાઇ, રાકેશ કલ્યાણી, નિખીલ શાહ, અરૂણ નિર્મળ, સમીર કામદાર, હિરેન મહેતા, નીરવ સંઘવી, વિજય દોશી, દિનેશ મોદી, પાર્થ સંઘવી, રાજુ મોદી, ધૈર્ય દોશી, સંધ્યા મોદી, દેવાંગી મોદી, હેમા મોદી, હિના સંઘવી, અલકા બોરડીયા, આરતી દોશી, દક્ષા મહેતા, મીના પારેખ, બીના દોશી, જીગ્નશ મોદી, કાજલ મીઠાણી, હેતલ મહેતા, હેતલ દોશી, બકુલ શાહ, હિના રાજપરા, પારૂલ જીવરાજાની, દીપા શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં સંપૂર્ણપણે સરકારના નિયમોનું પાલન કરાયાનું યાદીમાં જણાવેલ છે.

(3:56 pm IST)