Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

બેજુદા-જુદા બનાવમાં બેભાન હાલતમાં રૈયાના રવજીભાઇ સિંધવનું અને બેડીપરાના સ્મિતાબેન ભલસોડીયાનું મોત

રાજકોટઃ રૈયા ગામ જુના વણકરવાસમાં રહેતાં રવજીભાઇ ધનજીભાઇ સિંધવ (ઉ.૩૨) રવિવારે સવારે ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બીજા બનાવમાં બેડીપરા ગીરનારી શેરીમાં રહેતાં સ્મિતાબેન દિપકભાઇ ભલસોડીયા (ઉ.૩૧) આઠમના રોજ ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને જગુભા ઝાલાએ યુનિવર્સિટી તથા બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:09 am IST)