Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

પત્રકાર કુલદીપ નાયરનું રાજકોટ સાથેનું સંભારણું

વિશ્વ વિખ્યાત પત્રકાર લેખક અને પૂર્વ સાંસદ કુલદીપ નાયરના નિધનથી શોકની લાગણી પ્રસરી છે. ત્યારે રાજકોટ સાથેની તેમની યાદો વાગોળતા સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના યશવંત જનાણીએ એક યાદગાર તસ્વીર અહી રજુ કરી છે. જેમાં ૧૯૮૩ ના સમયમાં વિદ્યાર્થી યુવક જગતના મુખપત્ર 'છાત્ર શકિત' ના દશાબ્દી મહોત્સવ પ્રસંગે કુદલીપ નાયરે ઉપસ્થિત રહી સમારોહને સંબોધ્યો હતો. એ સમયની તસ્વીરમાં ડાબી બાજુ સાહિતયકાર રચનાત્મક અગ્રણી મનુભાઇ પંચોળી, તત્કાલીન મેયર અને હાલના કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, જમણી બાજુ પૂર્વ સાંસદ સ્વ. પી.જી. માવલંકર, પૂર્વ કુલપતિ શંકરભાઇ દવે, પૂર્વ શ્રમમંત્રી મનસુખભાઇ જોશી, સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના ચેરમેન અને છાત્ર શકિતના તંત્રી યશવંતભાઇ જણાણી દ્રષ્ટીગોચર થાય છ. (૧૬.૪)

(4:03 pm IST)