Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

આજે રાતે મુકેશજીને સ્વરાંજલી સંગીત કાર્યક્રમ

બગસરાના વિનુભાઈ ભરખડા સાથે પ્રવિણ ડાભી, નિરૂબેન ડાભી, મહેશ વ્યાસ, સુરેશ વ્યાસ, આનંદ માંડલીયા, જયશ્રીબેન ચૌધરી, નિધીબેન બુધ્ધદેવ જમાવટ કરશે

રાજકોટ,તા.૨૫: શહેરની જાણીતી સંગીત સંસ્થા સૂરસંગમ દ્વારા આજે રાત્રે ૯ વાગ્યે, અરવિંદભાઈ મણીયાર હોલ, જ્યુબેલીબાગ ખાતે, મહાન ગાયક, મુકેશજીની પૂણ્યતિથિ નિમિત્તે, શ્રધ્ધાંજલી.

આ કાર્યક્રમમાં સંસ્થાના કલાકારો સર્વશ્રી પ્રવીણભાઈ ડાભી, નિરૂબેન ડાભી, મહેશભાઈ વ્યાસ, સુરેશભાઈ વ્યાસ, આનંદ માંડલીયા, વિનુભાઈ ભરખડા (બગસરા), શ્રીમતી જયશ્રીબેન ચૌધરી, વિનુ, નિધીબેન બુધ્ધદેવ પોતાના સુમધૂર કંઠે, મુકેશજીનાં ગીતો પ્રસ્તુત કરશે. કાર્યક્રમમાં સંગીતનાં અનન્ય ચાહક અને પ્રોત્સાહક સરલાબેન ત્રિવેદી પ્રોત્સાહક હાજરી આપશે.

કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ કરશે. આ કાર્યક્રમને માણવા, તમામ સંગીત રસીકોને જાહેર નિમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમમાં સ્વ.મુકેશજીનો અદ્દભુત કંઠ ધરાવતા બગસરાના કલાકાર વિનભાઈ ભરખડા મુકેશજીના ગીતો સુંદરરીતે પ્રસ્તુત કરનાર છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

(3:34 pm IST)