Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ત્રિકોણબાગ પાસે આવેલ વિવાદાસ્પદ મિલ્કત અંગે આવતિકાલે સુનાવણી

માલીકી અંગે સીટી સર્વે કચેરીમાં થશે સુનાવણી

રાજકોટ તા. રપ : શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ બિલ્ડીંગનાં માલીકી હક્ક અંગે આવતિ કાલે સીટી સર્વે કચેરીમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

આ અંગેની વિગતો મુજબ ત્રિકોણબાગ વિસ્તારમાં અત્યંત મોકાની એવી ભાડુઆતો વાળી કરોડોની કિંમતની ''શ્રી નિવાસ'' બિલ્ડીંગના માલિકી હક્ક અંગે કાલે  સીટી સર્વે કચેરીમાં સુનાવણી હાથ ધરાશે.

નોંધનિય છે કે ૧૯૩૪માં આ મિલ્કત અંગેજો પાસેથી ભાડેથી એક મહિલા દ્વારા લેવાઇ હતી અને ર૦૧પમાં વારસા સર્ટીના આશરે આ મહીલાના પુત્રને આ મિલ્કત વેચવામાં આવતા જાગૃત નાગરીક બશીરભાઇ લાખાણીએ આ બાબતે સીટી સર્વે કચેરીમાં અપીલ કરી હતી અને આ મિલ્કતની ફાઇલ પણ કચેરીમાથી ગુમ થઇ ગઇ છે. ત્યારે હવે કાલની જુનાવણી ઉપર મીટ મંડાઇ છે.

(4:37 pm IST)