Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોરબી રોડ રામનાથ પાર્કમાં નયનાબેન ચૌહાણનો એસીડ પી આપઘાત

પ્રેમીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા લાગી આવતા યુવતીએ પગલું ભર્યું

રાજકોટ તા. રપઃ મોરબી રોડ પર રામનાથ પાર્કમાં પ્રેમીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા લાગી આવતા યુવતીએ એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.મળતી વિગત મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે રામનાથ પાર્કમાં રહેતી નયના મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.ર૧) એ ગઇકાલે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.મૃતક નયના બેભાઇ અને ચાર બહે઼નમાં નાની હતી તેના પિતા હયાત નથી માતા કેટરર્સમાં કામ કરે છે. નયનાને પાડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તે યુવાનની સગાઇ થઇ ગઇ હતી. બાદ યુવાને નયનાને પ્રેમ સંબંધ ન રાખવાનું કહેતા લાગી આવતાં તેણીએ આ પગલું ભર્યું હોવાનું યુવતીની માતાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. જગેન્દ્રસિંહે કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)