Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સોરઠીયા વાડીમાં શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરે નવરાત્રીમાં શ્રૃંગાર દર્શન

રાજકોટ તા.૨૩ : સોરઠીયાવાડી પટેલનગર-૧માં આવેલ સમસ્‍ત મોઢ જ્ઞાતિના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતંગી માંના મંદિરે આસો મહિનાના નોરતા દરમ્‍યાન શ્રીંગાર દર્શન કુંભસ્‍થાપન અખંડ દિપદર્શન અને માંના સ્‍વરૂપ દિવ્‍યદર્શનનો લાભ સવારના ૬થી ૧૨ અને સાંજે ૪થી ૧૧ વાગ્‍યા સુધી મળશે ૧૧ વાગ્‍યે આરતી પ્રસાદ થશે. દરેક માઈ ભક્‍તોને આમાં સહભાગી થવા મંદિરના પૂજારી રવિભાઈ દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવે છે.

આસો સુદ નોમના દિવસે માતાજીના મંદિરે હવન (યજ્ઞ )રાખવા માં આવેલ છે આમાં કોઈને સાતક બેસવાનો લાભ લેવો હોઈ તો મોબાઇલ નંબર ૮૨૦૦૫ ૭૫૩૫૫ ઉપર જાણ કરવા કમલેશભાઈ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)