Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ગણેશનગરના પ્રેમનું તાવ ચડ્યા બાદ મોત

ડેંગ્યુનો રિપોર્ટ આવ્યાનું પરિવારજનોનું કથનઃ મહેશ્વરી પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પર ગણેશનગર-૭માં રહેતો પ્રેમ ખીમજીભાઇ દેવરીયા (મહેશ્વરી) (ઉ.વ.૨૮) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર પ્રેમ બે ભાઇમાં નાનો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. પરિવારજનોના કહેવા મુજબ તેને ચારેક દિવસથી તાવ આવતો હોઇ દવા લીધી હતી. રિપોર્ટ કરાવવામાં આવતાં ડેંગ્યુ હોવાનું ખુલ્યું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(12:58 pm IST)