Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

વિશ્વ ભારતી પરીષદ દ્વારા રક્ષાબંધન પર્વ અને યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો

રાજકોટ : વિશ્વ ભારતી પરિષદ દ્વારા શહેરની મધ્યમાં આવેલ નાગર બોર્ડીંગ ખાતે   હાટકેશ્વર મહાદેવજીના આશીર્વાદ લઇ બ્રહ્મ સમાજના આગેવાનો-વડીલો અને યુવાનો દ્વારા રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞોપવીત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ ભરતી પરિષદ ના કન્વીનર અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ   પ્રદીપભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ કોંગ્રેસ આગેવાન જીતુભાઈ ભટ્ટ, પરેશભાઈ પંડ્યા, યજ્ઞેશભાઈ જોશી, શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય ડો.રાજેન્દ્ર ત્રિવેદી, રાજકોટ બાર એશોશીયેશનના સેક્રેટરી ડો.જીગ્નેશ જોશી, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ ભટ્ટ, નંદલાલભાઈ જોશી, કેતનભાઈ ઠાકર, જીતુભાઈ ઠાકર, શહેર કોંગ્રેસ આગેવાન તુષિત પાનેરી, આનંદભાઈ વ્યાસ, એડવોકેટ પરેશભાઈ પંડ્યા, ડો.બીરજુભાઈ દવે, સહિતના બ્રહ્મ સમાજના આગેવાનોને શાસ્ત્રી વિજયભાઈ જોશી દ્વારા શાસ્ત્રોકત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત બદલવાનો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો તેવું વિશ્વ ભારતી પરિષદના અગ્રણી   વિરલ ભટ્ટની યાદીમાં જણાવ્યું છે.

(3:00 pm IST)