Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કાંતાબેન પોબારૂના જન્મદિને સેવાકાર્યઃ સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં ૩૫૪ દર્દીઓને નવી દ્રષ્ટિ

રાજકોટઃ શ્રીમતિ કાંતાબેન પ્રભુદાસભાઈ પોબારૂનાં જન્મદિવસ નિમિતે શ્રી છબીલભાઈ પોબારૂ તથા શ્રી રાજુભાઈ પોબારૂ- રાજકોટ તથા શ્રી રાજુભાઈ પોબારૂ- રાજકોટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ૩૭મો શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો, જેમાં ૩૫૪ દર્દીઓને નવીદ્રષ્ટિ મળી હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા- પાણી, નાસ્તો, શુધ્ધ ઘીનો શિરો, દવા ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા.

(3:37 pm IST)