Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

શાપરના પારડી પાસે અકસ્માતમાં ઘવાયેલા લક્ષ્મીનગરના ભાર્ગવભાઇ વાઢેરે દમ તોડી દીધો

રાજકોટ તા.૨ ૪: શાપર વેરાવળના પારડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલા લક્ષ્મીનગરના રજપૂત યુવાનનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

મળતી વિગત મુજબ લક્ષ્મીનગર શેરી નં.૩માં રહેતા ભાર્ગવભાઇ જસવંતભાઇ વાઢેર (ઉ.વ.૩૦) ગત તા. ૨૦ના રોજ પોતે પોતાના બાઇક પર શાપરથી રાજકોટ આવતા હતા ત્યારે પારડી ગામ પાસે કોઇ વાહન અકસ્માત થતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજ્યુ હતુ. આ અંગે ભકિતનગર પોલીસ મથકના  સુભાષભાઇ ડાંગર અને નીલેષભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:23 pm IST)