Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કાઠીયાવાડ બાલાશ્રમમાં ૧૫ દિવસની વયના બાળકનું મોત

રાજકોટ તા. ૨૪: કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં રખાયેલા ૧૫ દિવસની વય ધરાવતાં બાળક (પુત્ર)ની ગઇકાલે ઝાડા થઇ ગયા બાદ તબિયત બગડતાં સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલના કે.ટી.સી. વોર્ડમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે ભકિતનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ રાજદિપસિંહ ગોહિલે જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકનું નામ ધર્મ રાખવામાં આવ્યું હતું.

(11:20 am IST)