Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રૈયા રોડ શિવપરાના મનોજભાઇ રાયઠઠ્ઠાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૪: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક નજીક શિવપરામાં જયશ્રી કોમ્પલેક્ષ સામે શેરી નં. ૫માં રહેતાં મનોજભાઇ વિઠ્ઠલભાઇ રાયઠઠ્ઠા (ઉ.૩૯) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ આર. એચ. કોડીયાતરે જરૂરી કાર્યવાહી કરી હતી. મનોજભાઇ ત્રણ બહેન અને પાંચ ભાઇમાં નાના હતાં. મોબાઇલનું કામ કરવા ઉપરાંત કરિયાણાની દૂકાનમાં પણ ભાઇ સાથે બેસતા હતાં. તેને કેન્સરની બિમારી હતી. સાંજે અચાનક બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:20 am IST)