Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બાલભવન પરિવાર દ્વારા લાયન ડો. અશોક મહેતાને શ્રધ્ધા સુમન

 બાલભવન રાજકોટના નવા બિલ્ડીંગના નિર્માણના મુખ્ય દાતા લાયન ડો. અશોક મહેતાનું અવસાન થતા બાલભવન પરિવાર દ્વારા તેમની છબીને ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સંસ્થાના માનદમંત્રી મનસુખભાઇ જોષી, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ અને સ્ટાફગણ તેમજ બાળકોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પી હતી.

(4:11 pm IST)