Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ટ્રેનિંગ કેમ્પ

 ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ રિસર્ચ એન્ડ હોસ્પિટલ દ્વારા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદ સાયન્સ મીનીસ્ટ્રી ઓફ આયુષ ન્યુ દિલ્હીના સહયોગથી બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરાયુ હતુ. જેમાં સૌરાષ્ટ્રભરની કોલેજોમાંથી ૫૦ થી વધારે એમ.ડી. ડોકટરોએ ભાગ લીધો હતો. સમાપન સમયે સીસીઆરએએસ રીસર્ચ ઓફીસર ડો. લાવણ્ય અને ડો. જયપ્રકાશ દ્વારા પ્રકૃતિ વિષે માહીત અપાઇ હતી. માસ્ટર ટ્રેનર્સને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવેલ. પ્રોગ્રામની ફલશ્રુતિરૂપે ટ્રેનર્સ દ્વારા પણ પોતાના મંતવ્યો રજુ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્યડો. લીનાબેન શુકલા, આયુર્વેદ કોલેજના શૈક્ષણિક સ્ટાફના ડો. મૈત્રેય મણીયાર, ડો. મેઘા ચંદારાણા, ડો. નિરંજન, ડો. ભગીરથ સાંકળીયા, મોહિત ભેસાણીયા, સંદીપ મહેતા, મનિષ પંડયા તેમજ કોલેજ અને હોસ્પિટલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:18 pm IST)