Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ધૈર્યરાજની સારવાર માટે ચેક અર્પણ

રાજકોટઃ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા એસએમ-૧ નામની બીમારી પીડિત બાળક ધૈર્યરાજસિંહ રાઠોડ ના સારવાર માટે રૂ.૧૬,૧૦,૩૩૦ નુ ફંડ એકત્ર થયું હતું. રાજકોટ ટીમ દ્વારા રૂ.૧૧,૩૮,૦૦૦ કોડીનાર દ્વારા રૂ. ૩,૪૪,૮૩૦ બાંટવા તરફથી રૂ.૫૧૦૦૦ તથા રાજકોટથી શ્રી મહેશસિંહ રાજપૂત દ્વારા રૂ.૫૧,૦૦૦  શ્રી માધવ સોશ્યલ ગ્રુપ દ્વારા કાળુભાઇ કુંગસિયા, કિશોરસિંહ રાઠોડ, પરેશભાઈ પીપળીયા ,શ્રી સંજયસિંહ રાઠોડ ના હસ્તે રૂ.૧,૦૦,૦૦૦ તથા જય વેલનાથ ગ્રુપ ના રૂ.૧૭૫૦૦ કોળી સમાજ આગેવાન  બાબુભાઇ કોળીના તરફથી, રાજકોટના  પુષ્કરધામ સોસાયટી પરિવાર તરફથી રૂ.૧૪,૫૦૦ રાજકોટના બાઘી ગામના શ્રી બજરંગ ધૂન મંડળ તરફ થી રૂ.૧૧,૦૦૦  અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાત,અમદાવાદ ટીમ દ્વારા ફંડ એકત્ર કરેલ હતું જે બધુ મળી ને ટોટલ ફંડ રૂ.૨૮,૫૫,૧૯૧ રકમ નો ચેક શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ટિમ દ્વારા ધૈર્યરાજસિંહના પિતાશ્રી રાજદીપસિંહ રાઠોડને અર્પણ કરેલ છે.

 

(3:17 pm IST)