Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સુચક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશનની કામગીરીનું નિરીક્ષણ કરતા ડે.મેયર તથા આરોગ્ય સમિતિ ચેરમેન

રાજકોટ : ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના વેકસીનેશન સંદર્ભ સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેવા એક ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જૈન સાધુ સંતોને પણ વેકસીનેશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જૈન સાધુ સંતોને આજરોજ સુચક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશન આપવામાં આવેલ. ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા ઉકત સ્થળની મુલાકાત કરવામાં આવેલ. તેમજ સુચક આરોગ્ય કેન્દ્રમાં સીનીયર સીટીઝન રાજકોટ ગ્રુપને પણ વેકસીનેશન આપવામાં આવેલ. તેમજ હાજર રહેલ શહેરીજનોને પણ વેકસીનેશન મુકવા બાબત વધુ માહિતગાર કરવામાં આવેલ તેમજ શહેરીજનોને આરોગ્ય કેન્દ્રોનો લાભ લઇ વધુમાં વધુ કોરોના વેકસીન મુકાવા અપીલ પણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા હાજર રહેલ.

(3:17 pm IST)