Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

રાજકોટ શહેર - જીલ્લામાં કોઇ પ્રોબ્લેમ નથીઃ લોકો-વિરોધ કરનારાઓને શાંતિ જાળવવા કલેકટરની અપીલ

હાલ ૧૪૪મી કલમની કોઇ જરૂરિયાત નથીઃ હાઇવે-સંવેદનશીલ ક્ષેત્રોમાં સઘન બંદોબસ્ત-પેટ્રોલીંગ

રાજકોટ તા. ર૪: આવતીકાલે પદમાવતી ફિલ્મ દેશભરમાં રીલીઝ થઇ રહી છે, તો કરણી સેના દ્વારા ભારત બંધનું પણ એલાન અપાયું છે, અને અમદાવાદમાં તોફાનો પણ થયા છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે એ ''અકિલા''ને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં કોઇ પ્રોબ્લેમ નથી, શાંતિ છે, અને લોકો તથા વિરોધ કરનારાઓ પણ શાંતિ જાળવે તેવી મારી અપીલ છે.

કલેકટરે નિર્દેશ આપેલ કે, સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ-પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જીલ્લામાં ૧૪૪મી કલમ અંગે કલેકટરે જણાવ્યું હતું કે હાલ એવી કોઇ જરૂરીયાત નથી, તેમણે હાલ જીલ્લામાં સર્વત્ર શાંતિ હોવાનું ઉમેર્યું હતું. (૭.રર)

(11:50 am IST)