Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કોઠારિયા પાસે ખાણમાં માછલી પકડવા ગયેલા મુકેશ ડામોરને મોત મળ્યુઃ કોહવાયેલી લાશ નીકળી

સ્વાતીપાર્ક પાસે રહેતો આદીવાસી યુવાન ત્રણ દિવસ પહેલા ઘરેથી માછલી પકડવા જઇ રહ્યાનુ કહી નીકળ્યા બાદ ગૂમ હતોઃ આજે લાશ મળી

રાજકોટ તા. ર૩ : શહેરના કોઠારિયા ગામે પાસે ત્રણ દિવસ પહેલા માછલી પકડવા ગયેલા આદિવાસી યુવાનની ખાણમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી.

મળતી વિગત મુજબ કોઠારિયા ગામ પાસે જયનગર મફતીયાપરા પાસે પાણીની ખાણમાં એક અજાણ્યા યુવાનની લાશ તરતી હોવાની જાણ કોઇએ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી યુવાનની લાશને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ જી.એન. વાઘેલા તથા રાઇટર કેતનભાઇએ સ્થળ પર પહોંચી તપાસ કરતા આ યુવાન મૂળ દાહોદના ખરોડ ગામનો હાલ રાજકોટ કોઠારીયા ગામ પાસે સ્વાતિપાર્ક પાસે ઝુપડામાં રહેતો મુકેશ માનજીભાઇ ડામોર (ઉ.પ૦) હોવાનું ખુલ્યુ હતું મૃતક મુકેશ ત્રણભાઇ એક બહેનમાં નાનો હતો તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તે મજુરીકામ કરતો હતો તે ગત તા.ર૧મીએ રાત્ર ેઘરેથી કોઇને કહ્યા વગર કોઠારીયા ગામ જયનગર મફતિયાપરા પાસે ખાણમાં માછલી પકડવા માટે ગયો હતો.

મુકેશ ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ તેનો પતો ન લાગતા પરિવારજનોએ ગઇકાલે આજીડેમ પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી ત્યાં આજે સવારે તેની ખાણમાંથી કોહવાયેલી લાશ મળી આવી હતી આ યુવાનનું ડુબી જવાથી મોત નિપજયું હોવાનું ખુલ્યુ છે.

(3:51 pm IST)