Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સોમવારે માં પ્રેમ રિતંબરાની નિર્વાણ તીથી : ડો. રસવૈદ સ્વામિ હરિષ ભારતીના બંગલે નિઃશુલ્ક ધ્યાનોત્સવ

ધ્યાન-કિર્તન-સન્યાસના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસર

રાજકોટ :  આગામી તા. ર૬ ને સોમવારના રોજ ઓશોનો જુના સન્યાસીનીમાં પ્રેમ રિતાંબરા (હંસાબેન હરેષચંદ્ર દવે) ની નિર્વાણ તીથિ નિમિત્તે ઓશો પરિવારના રસવદ સ્વામિન હરિષ ભારતી, માં બૌધિ કરા, માં દેવ અમૃતા, સ્વામિ બૌદ્ધિહંસ, માં ક્રિષ્ના દ્વારા સોમવારે સાંજના પ-૩૦ થી ૮-૩૦ દરમ્યાન નિર્વાણ ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ દરમ્યાન ઓશોનું ઓમકાર ધ્યાન, શિવ કિર્તન, ઓેશોનું મૃત્યુ પરનું વિશેષ પ્રવચન તથા સન્યાસ ઉત્સવ (ઓશોનો નવ સન્યાસ દશ નવા મિત્રો લેવાના છે) કાર્યક્રમ બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખેલ છે. ઉપરોકત નિઃશુલ્ક ઓશો ધ્યાર્નોત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસીઓને સ્વામિ હરિષ ભારતી તથા સ્વામિ હંસે અનુરોધ કરેલ છે. કાર્યક્રમમાં સહભાગી થનાર સાધકે વ્હાઇટ રોબ પહેરી આવવા વિનંતી કરાઇ છે. સ્થળ : ડો. રસવૈદ સ્વામિ હરિષ ભારતી ''ઓશો'', શ્રી નરંજની હાઉસીંગ સોસાયટી પ્લોટ નં.રપ, નરસિંહ મહેતા ઉદ્યાન સામે, રૈયા રોડ, રાજકોટ.વિશેષ માહિતી : રસવૈદ સ્વામિ હરિષ ભારતી - ૯૮રપ૪ ૭૮૪૭૪, ડો. ભુષણ દવે - ૮૧ર૮૦ ૩૧પર૬, સ્વામિ સત્ય પ્રકાશ-૯૪ર૭ર પ૪ર૭૬.

(3:31 pm IST)