Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોરબીમાં દાઝી જતાં અઢાર વર્ષની વૈશાલી સોલંકીનું મોત

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં વીસેક દિવસની સારવાર બાદ સિવિલમાં દાખલ હતાં: રાત્રે દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: મોરબી નજરબાગ  બુધ્ધનગર-૧માં રહેતી વૈશાલી ચમનભાઇ સોલંકી (ઉ.૧૮) નામની વણકર યુવતિ ગત સાંજે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે કાગળો કરી મોરબી જાણ કરી હતી. મૃત્યુ પામનાર વૈશાલી બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી તથા ઘડીયાળની ફેકટરીમાં કામ કરતી હતી. ચુલા પર રસોઇ બનાવતી વખતે કેરોસીન નાંખતા ભડકો થવાથી દાઝી ગયાનું તેના પિતાએ જણાવ્યું હતું.

(11:48 am IST)