Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ઘંટેશ્વર પાસે રિક્ષામાં આવી અજાણ્યા શખ્સો બે બકરી ચોરી ગયા ને માથે જતાં અજયને લાકડીથી ફટકાર્યો!

રાજકોટ તા. ૨૩: રૈયાધારમાં રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતો અજય મનસુખભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૨૦) ગઇકાલે ઘંટેશ્વર પાસે ઘઉંના ગોડાઉન નજીક પોતાની બકરીઓ ચરાવતો હતો ત્યારે રિક્ષામાં આવેલા શખ્સોએ બે બકરી ઉઠાવી લેતાં અજયએ દોટ મુકી તેને પડકારતાં તેમાંથી ઉતરેલા ચાર શખ્સોએ તેને તેની જ લાકડીથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. અજયના કહેવા મુજબ અજાણ્યા શખ્સો બે બકરી ચોરી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.

(11:56 am IST)