Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ખેતરમાં વિજલાઇન નાંખવામાં જીયાણાના ખેડુતોને અન્યાય

રાજકોટ, તા. ર૩ : ખેડુતોના ખેતરમાંથી વિજલાઇન પસાર કરવાના સર્વેમાં જીયાણા ગામના ખેડુતોને અન્યાય થઇ રહ્યાની રજૂઆત જીલ્લા કલેકટરશ્રીને કરાઇ છે.

આ અંગે રાજકોટ તાલુકાના જીયાણા ગામના સર્વે નં. ૩૬૧/૩૮, ર૬૬/ર સહિતના સર્વે નંબરોવાળા ૪૪ જેટલા ખેડુતોએ કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલના સર્વે મુજબ વિજલાઇન નાંખવામાં આવે તો નાના ખેડૂતોની આજીવિકા છીનવાઇ જશે. છતાં કોન્ટ્રાકટરો દ્વારા ખેડૂતોને વિજલાઇન પસાર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં વિજલાઇન અંગે રિ-સર્વે કરવા ખેડુતોએ માંગ ઉઠાવી છે.

(3:58 pm IST)