Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આજથી ૩૦ માર્ચ સુધી અનેક ટ્રેનો રદ્દ : અમદાવાદ-સોમનાથ-હમસફર-નાથદ્વારા સહિતની ટ્રેનોને અસર

રાજકોટ-હાપા વચ્ચે ઇલેકટ્રીક ટ્રેનના વિદ્યુતિકરણ માટે

રાજકોટ, તા. ર૩ : રાજકોટ-હાપા વચ્ચે ઇલેકટ્રીક ટ્રેન માટે

વિદ્યુતિકરણની કામગીરી ચાલુ છે ત્યારે આજથી ૩૦થી માર્ચ સુધી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે જેની વિગતો આ મુજબ છે.

 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસીટી એકસ્પ્રેસ અને સોમનાથ-અમદાવાદ ઇન્ટરસીટી એકસ્પ્રેસ-૩૦ માર્ચ સુધી

 તથા જામનગર-બાંદ્રા હમસફર એકસ્પ્રેસ તા. ર૪,ર૬,૩૦ એમ ત્રણ દિવસ બંધ રહેશે. ઓખા-જયપુર એકસ્પ્રેસ- રપ માર્ચ, ઓખા-નાથદ્વારા-૩૦ માર્ચ, હાપા-ઓખા લીંક એકસ્પ્રેસ તા. ર૪, રપ, ર૮, ૩૧ માર્ચ બાંદ્રા-મહુવા ર૮ માર્ચએ, પુના-વેરાવળ એકસ્પ્રેસ ર૮મી માર્ચ, ઇન્દોર-વેરાવળ મહામ્ના  એકસ્પ્રેસ ર૬ માર્ચ.

અર્ધારૂટ બંધ બ્લેક તેમજ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસ્પ્રેસ ર૩થી ૩૦ માર્ચ સુધી માત્ર અમદાવાદ સુધી જ જશે, સુરત-જામનગર ઇન્ટરસીટી-ર૩થી ૩૦ માર્ચ સુધી માત્ર રાજકોટ સુધી જ ચાલશે.

જયારે મુંબઇ સેન્ટ્રલ રાજકોટ-કુરંતો  એકસ્પ્રેસ ર૩થી ૩૦ માર્ચ સુધી અમદાવાદ સુધી રહેશે

માતા વૈષ્ણવોદેવી કટરા-જામનગર એકસ્પ્રેસ તા. ર૪ માર્ચ અમદાવાદ સુધી જ આવશે.

(4:08 pm IST)