Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ગોંડલના ગરનાળામાં તાપણું તાપતાં દાઝી જતાં આદિવાસી મહિલાનું મોત

રાજકોટ તા. ૨૩: ગોંડલના ગરનાળામાં તાપણુ તાપતી વખતે દાઝી જવાથી આદિવાસી મહિલાનું મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

ગરનાળા રહેતા શર્મિલાબેન પોપટભાઇ નાયકા (ઉ.વ.૫૫) બે દિવસ પહેલા ઘરે તાપણુ કરીને તાપતા હતાં ત્યારે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

(12:49 pm IST)