Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ઓમ સાંઇ સેવા ટ્રસ્ટની સર્વધર્મ ગરબી મંડળ દ્વારા બાળાઓને ચાંદીની લ્હાણી

રાજકોટઃ વોર્ડ નં. ૩ માં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી દ્વારા છેલ્લા રર વર્ષથી તેમની સંસ્થા ઓમ સાંઇ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ ગરબી મંડળનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેનો કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂનમના   દિવસે સિન્ધી સમાજના અગ્રણીઓ દ્વારા દિકરીઓને દિલ ખોલીને લ્હાણી વિતરણ કરવામાં આવ્યુ જેમાં સોના અને ચાંદી સાથે કાનની બાલી, અને નાંકની ચૂંક, પગના ચાંદીના ઝાંઝર સાથે લ્હાણીઓનું વિતરણ કરવામાં આવેલ હતું. તે વખતની તસ્વીર. આ સેવાના કાર્યમાં દાતા લીલારામભાઇ પોપટાણી, બ્રીજલાલભાઇ સોનવાણી, ક્રિપાલભાઇ કુંદનાણી, અજીતભાઇ લાલવાણી, જગદીશભાઇ મગનાણી, સુરેશભાઇ બેલાણી, સોનુભાઇ આહુજા, અમીતભાઇ સહાની, જગદીશભાઇ મંદાણા, પ્રદિપભાઇ તુલશીયાણી, હરેશભાઇ મુલચંદાણી, રાધાકીશનભાઇ આહુજા, સુનિલભાઇ બ્રીજલાણી, પપ્પુભાઇ બજાજ, મહેન્દ્રભાઇ વાઘેલા, પ્રકાશગીરી ગોસ્વામી વિગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

(3:04 pm IST)