Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ચંદુભાઈ, કિશોરભાઈ અને નિલેષભાઈ કોંગીને હેરાન કરે છે અને ભાજપને બદનામ કરે છે

આ ત્રણેય પર કોઈને વિશ્વાસ નથી છતા અવિશ્વાસ દરખાસ્ત મૂકાવીઃ નાનજીભાઈ ડોડિયા

રાજકોટ, તા. ૨૨ :. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અને દંડક નાનજીભાઈ ડોડિયાએ પંચાયતના રાજકારણ સાથે સંકળાયેલા બાગી જુથના ૩ આગેવાનો પોતાના રાજકીય સ્વાર્થ માટે પંચાયતને તેમજ કોંગ્રેસને હેરાન કરતા હોવાનો અને ભાજપને બદનામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

નાનજીભાઈ ડોડિયા જણાવે છે કે, ચંદુભાઈ શીંગાળા, કિશોરભાઈ આંદિપરા અને નિલેષભાઈ વિરાણી કોંગ્રેસમાં હતા ત્યારે પણ અવારનવાર સાચા-ખોટા મુદ્દા ઉભા કરી વિકાસમાં વિઘ્ન સર્જવા પ્રયાસ કરતા હતા. હવે તેઓ ભાજપમાં છે તો પણ આ પ્રવૃતિ બંધ કરી નથી. ત્રણેયની નેતાગીરી પર સભ્યોને વિશ્વાસ ન હોવા છતા ભાજપને ગેરમાર્ગે દોરી અવિશ્વાસ દરખાસ્ત મુકાવી દીધી છે. ભાજપના મોટા ભાગના અગ્રણીઓ અવિશ્વાસ દરખાસ્ત બાબતે અજાણ હતા. આ ત્રણેય પહેલા કોંગ્રેસને બદનામ કરતા હવે પોતાની નકારાત્મક રાજનીતિથી ભાજપને બદનામ કરે છે. કોંગ્રેસ પાસે અવિશ્વાસ દરખાસ્ત ઉડાવી દેવા માટે જરૂર કરતા વધુ સંખ્યા બળ છે. અમારી સભ્ય સંખ્યા સતત વધી રહી છે. સામાન્ય સભામાં વીસેક સભ્યો કોંગ્રેસ સાથે રહે તેવા અત્યારના સંજોગો છે. કોંગ્રેસનું શાસન યથાવત જ રહેશે.

(1:03 pm IST)