Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગોંડલ ચોકડી પાસે હરબનસિંગ રાજપૂતને ત્રણ શખ્સોએ માર માર્યો

પરમાનંદ, શંકાર સહિત ત્રણ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૨૨ :. ગોંડલ ચોકડી પાસે પૂલ નીચે રેલ્વેના પાટા પાસે પરપ્રાંતીય ટ્રક ચાલકને ત્રણ શખ્સોએ માર માર્યાની ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આવેલ ઉજાલા ટ્રાન્સપોર્ટની ઓરડીમાં રહેતા હરબનસિંગ જેલસિંગ રાજપુત (ઉ.વ. ૪૦) રાત્રે ગોંડલ ચોકડી પાસે પૂલની નીચે રેલ્વેના ટ્રેક પાસે ચાલીને જતા હતા ત્યારે પરમાનંદ, શંકર અને ગંગા નામના ત્રણ શખ્સોએ રાજપૂત યુવાનને રોકી ઝઘડો કરી ઢીકાપાટુ તથા પથ્થર વડે માર મારી ભાગી ગયા હતા. બાદ રાજપૂત યુવાનને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે આજી ડેમ પોલીસ ત્રણ શખ્સો વિરૂદ્ધ એનસી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)