Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

રાજકોટમાં માર્ચમાં આહિર સમાજનો ૨૫ મો સમુહલગ્નોત્સવ : રૂડા અવસરની તૈયારી શરૂ

૧ ડીસેમ્બરથી ફોર્મ વિતરણ : આ વખતે સ્થળ બદલાયુ : ઘંટેશ્વર ખાતે આયોજન : પ્રમુખ પ્રદીપભાઇ જાદવના નેતૃત્વમાં બેઠકોનો ધમધમાટ

રાજકોટ તા. ૨૨ : આહિર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા. ૩ માર્ચ ૨૦૧૯ ના રવિવારે ૨૫ માં સમહુલગ્નોત્સવનું આયોજન કરાયુ છે. સ્થળ બદલીને આ વખતે મુન્નાભાઇ હુંબલની વાડી, ઘંટેશ્વર નવા રીંગ રોડ પાસે, ગ્રીન લીફ કલબની બાજુમાં આયોજીત આ વર્ષની સમુહલગ્ન સમિતિનું સુકાન પ્રદીપભાઇ એલ. જાદવ (મો.૯૨૨૭૧ ૨૦૦૮૦) ને સોંપાયુ છે. વધુને વધુ સંખ્યામાં આહિર યુગલો સમુહલગ્નમાં જોડાય તે માટે અનુરોધ કરાયો છે. ફોર્મ વિતરણ તા. ૧ ડીસેમ્બરથી શરૂ કરાશે.  આ માટે કોઠારીયા રોડ, આંબેડકર ભવનની બાજુમાં, વિનુભાઇ છૈયાની ઓફીસ મો.૯૩૨૭૫ ૧૭૯૩૬ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. ભરેલા ફોર્મ પરત કરવા આહીર સમાજની બોર્ડીંગ, ર/૧૮ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ફોન નં.૦૨૮૧ ૨૪૬૨૨૫૯ ખાતે પરત કરવાના રહેશે. સાથો સાથ મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. વકર કન્યાને સમિતિ તરફથી દાતાઓના સહયોગ ઘર વપરાશની જરૂરી વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા આહિર યુવા સમિતિના યુવા ટીમના સભ્યો પ્રમુખ પ્રદિપભાઇ એલ. જાદવ, કાનાભાઇ આર. મારૂ, હિતેષભાઇ ચાવડા, વિમલભાઇ ડાંગર, કનુભાઇ ખાટરીયા, મહેન્દ્રભાઇ ડાંગર, માંડણભાઇ ચાવડા, મહેશભાઇ હુંબલ, મુન્નાભાઇ એમ. હુંબલ તેમજ કરીયાવર સમિતિમાં વિનુભાઇ છૈયા, કાળુભાઇ હેરભા, અમુભાઇ મકવાણા, વરજાંગભાઇ હુંબલ, વિપુલભાઇ ડવ, રાયમલભાઇ એલ. ચાવડા, દિલીપભાઇ બોરીચા, મેરામણભાઇ શીયાળ, કનુભાઇ વી. મારૂ, નિર્મળભાઇ મેતા, ઇલેશભાઇ ડાંગર, જગદીશભાઇ બોરીચા, વિક્રમભાઇ ખીમાણીયા, શૈલેષભાઇ એચ. ડાંગર, અર્જુન કે. હુંબલ, અશોકભાઇ આર. મારૂ, મુકેશભાઇ એમ. ચાવડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (૧૬.૨)

(11:48 am IST)