Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાજપ યુવા મોરચા દ્વારા કાલે શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલી

રાજકોટ તા. ૨૨ : કાલે તા. ૨૩ ના વીર શહિદ દિન નિમિતે શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન  હેઠળ યુવા ભાજપના મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ કાલે સવારે ૯.૩૦ વાગ્યે શહિદ ભગતસિંહ ગાર્ડન, આકાશવાણી ચોક ખાતે પુષ્પાંજલી અર્પણ કરાશે. અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

(2:47 pm IST)