Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના પ આગેવાનોને સ્થાન

ભાનુબેન, દર્શનાબેન, પૂનમભાઇ, આત્મારામ, ઇશ્વરભાઇને સ્થાન

રાજકોટ, તા. રર : ભાજપ અનુસૂચિત  જાતિ મોરચાના, રાષ્ટ્રીય પ્રમુખ લાલસિંહ આર્યએ મોરચાની રાષ્ટ્રીય કાર્યકારીણીની જાહેરાત કરી છે જેમાં સભ્ય તરીકે ગુજરાતમાંથી દર્શનાબેન વાઘેલા અમદાવાદ, પૂનમભાઇ મકવાણા ગાંધીનગર, વિશેષ આમંત્રિત તરીકે આત્મારામ પરમાર ગઢડા, ભાનુબેન બાબરીયા રાજકોટ અને સ્થાયી આમંત્રિત સભ્ય તરીકે સમાજ કલ્યાણમંત્રી ઇશ્વરભાઇ પરમારનો સમાવેશ થાય છે.

(12:51 pm IST)