Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વીજતંત્ર દ્વારા શ્રીનાથજી સોસાયટીમાં માફી યોજના મેળો

રાજકોટઃ. પીજીવીસીએલ એમનેસ્ટી-૨૦૧૭ માફી યોજના અંતર્ગત મવડી રોડ સબ ડીવીઝન દ્વારા શ્રી નાથજી સોસાયટી વિસ્તારમાં માફી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મેળામાં કાર્યપાલક ઈજનેર શ્રી એચ.બી. પરમાર, નાયબ ઈજનેર બી.કે. દવે, અધિક્ષક હિસાબનીશ સી.પી. ચાવડા, નાયબ અધિક્ષક જે.એ. પીપળિયા, સી.આસી. આર.યુ. સખિયા, જુ. આસી. એ.આર. રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નોનો નિકાલ કર્યો હતો. તસ્વીરમાં વીજતંત્રના અધિકારીઓ સેવા આપતા દર્શાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:47 pm IST)