Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આશાપુરાનગરમાં ગરાસિયા બંધુની હત્યાની કોશિષના ગુનામાં બે મહિલા પકડાઇ

ભકિતનગર પોલીસ મથકે માકુબેન જળુ અને માસુબેન જળુ આગોતરા સાથે રજુ થતાં જામીન મુકત

રાજકોટ તા.૨૧: આશાપુરાનગરમાં મશ્કરી કરવા બાબતે દોઢ માસ પહેલા ગરાસિયા બંધુની હત્યાની કોશીષના ગુન્હામાં સામેલ બે મહિલા આગોતરા સાથે ભકિતનગર પોલીસ મથકમાં રજુ થતાં તેને જામીન મુકત કરાઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આશાપુરાનગર શેરીનં. ૧૭માં રહેતા હરદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઉ.વ.૫૫) ના પુત્ર પૃથ્વીરાજસિંહ અને પ્રહલાદસિંહ  પર ગત તા. ૪/૫ ના રોજ આશાપુરા  શેરીનં. ૧૭માં ડીલક્ષ પાન પાસે અગાઉ મશ્કરી કરવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી મેરામ આહીર, પરેશ, મેરામ ના કાકા, ભાયકો, માકુબેન અને અનુબેન સહિતે તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકમાં છએ શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશિષની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઇ. વી.કે. ગઢવીએ તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં આશાપુરાનગર શેરીનં. ૧૭માં રહેતી માકુબેન મેણંદભાઇ જળુ (ઉ.વ.૫૫) અને માસુબેન લખમણભાઇ જળુ (ઉ.વ.૪૦) આગોતરા સાથે ભકિતનગર પોલીસ મથકમાં રજુ થતાં બંનેની અટકાયત કરી જામીન મુકત કર્યા હતા.

(4:19 pm IST)