Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મ્યુ. કોર્પોરેશનમાં અનેક અધિકારીઓની ૯-૯ વર્ષથી બદલી નહીઃ અતુલ રાજાણી

કમિશનરનાં ટેકનીકલ પી. એ. સહિતનાં ઇજનેરોની બદલીની માંગ ઉઠાવતા કોંગી કોર્પોરેટર

રાજકોટ તા. ર૧ :.. મ્યુ. કોર્પોરેશનમાં અનેક અધિકારીઓની ૯-૯ વર્ષથી બદલીઓ નહી થયાનો આક્ષેપ કોંગ્રેસનાં કોર્પોરેટર  અતુલ રાજાણીએ કર્યો છે.

આ અંગે શ્રી રાજણીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેઓએ જનરલ બોર્ડમાં  મ્યુ. કમિશનરનાં ટેકનીકલ પી.એ. એકજ જગ્યા એ કેટલા વર્ષથી ફરજ બનાવે છે ? તેવો પ્રશ્ન પુછયો હતો. જેનાં લેખીત જવાબમાં દર્શાવાયુ છે કે મ્યુ. કમિશનરનાં ટેકનીકલ પી.એ. એકજ જગ્યાએ છેલ્લા ૯ વર્ષથી ફરજ બજાવે છે. આમ ઉપરોકત અધિકારી સહિત વોર્ડ નં. ૩ નાં ઇજનેરોની બદલીઓ આજી, ન્યારી અને ભાદર ડેમની કામગીરી સંભાળતાં વિભાગોમાં કરી નાખવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ નિવેદનનાં અંતે માંગ ઉઠાવી છે.

(4:16 pm IST)