Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પોપટપરા વિસ્તારના દયાસાગર હનુમાનજી મંદિરના પટાંગણમાં કોર્પો. ગાયત્રીબા વાઘેલાની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટ : વોર્ડ નં.૩ના પોપટપરા વિસ્તારમાં આવેલ પૌરાણીક દયાસાગર હનુમાનજી મંદિરના પરિસરમાં વોર્ડ નં.૩ના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ગ્રાન્ટમાંથી પેવીંગ ઇન્ટર લોકીંગ બ્લોક કામનું ગાયત્રીબા વાઘેલા તથા દિલીપભાઇ આશવાણીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના મહંત અનંત મહારાજ, મોજગીરી મહારાજ, કોંગ્રેસના આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલા, વિસ્તારના સ્થાનિક આગેવાનો અશોકભાઇ કાથળભાઇ, નરેન્દ્રભાઇ આહીર, કૃષ્ણભાઇ મોરે, કાનભાઇ જીંજુવાડીયા, લાલાભાઇ કુંગશીયા, શૈલેષભાઇ દલવાડીયા, પાર્થ ડવ, તેમજ વિસ્તારની સ્થાનિક મહિલાઓ ગૌરીબેન દલવાડીયા, ભાવનાબેન કલોલા, ચંદ્રિકાબેન ઠાકર, કોમલબેન ઠાકર, પ્રભાબેન, નીતાબેન ડાભી, પુનમબેન  વિગેરે ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવી સ્થાનિક કોર્પોરેટર શ્રીઓનો આભાર માન્યો હતો.

(3:40 pm IST)