Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ખાટરિયા જુથની સામે પડેલા કોંગી સભ્યો કદ પ્રમાણે વેતરાશે

મતદાનમાં સાથે રહયા છતા 'ઓળખ' થઇ ગઇ : ભાનુબેન અને કિરણબેન સામે શિસ્ત ભંગના પગલાની ભલામણ

રાજકોટ તા.ર૧: જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગીના ૩૪ પૈકી ર સભ્યો ભાનુબેન તળપદા અને કિરણબેન આંદીપરાએ ગેરહાજર રહી પાર્ટીના વ્હીપનો અનાદર કરેલ તેનો અહેવાલ જિલ્લા કોંગ્રેસે પ્રદેશને આપી દીધો છે બન્ને સામે શિસ્ત ભંગના પગલા તોળાઇ રહ્યા છે. ઉપરાંત કેટલાક સભ્યો પણ પ્રદેશની 'નજર' ગ્રહણમાં આવી ગયા છે.

કોંગ્રેસના પાંચ-સાત સભ્યો ખાટરિયા જુથને ખૂલ્લો ટેકો આપવાથી કે ખૂલ્લો વિરોધ કરવાથી દૂર રહ્યા હતા. ભાજપ અને બાગીઓના સંપર્કમાં રહેલા મનાતા ચોક્કસ સભ્યોના નામ ખાટરિયા જુથે પ્રદેશને સૂચવ્યા છે. પ્રદેશ કોંગ્રેસે આ ફરીયાદને ગંભીરતાથી લઇ તપાસ શરૂ કરી છે દેખીતો શિસ્ત ભંગ ન હોવાથી સીધા પગલા લેવાશે નહિ પરંતુ બાકીના હોદ્દાની વહેંચણી વખતે આવા સભ્યોને સંપૂર્ણ એક બાજુ મૂકી દેવાનું પાર્ટીએ નકકી કર્યાનું જાણવા મળે છે પંચાયત પ્રમુખ પદ માટે પ્રદેશની પસંદગીમાં દિમાગથી નહિ પણ દિલથી સાથે રહેલા સભ્યોને જ મહત્વ મળશે તેમ માનવામાં આવે છે.

(1:28 pm IST)