Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પરશુરામ જન્‍મોત્‍સવની તૈયારી

વેદમાતા ગાયત્રીધામ મંદિર ખાતે બ્રહ્મદેવ સમાજની આગામી પરશુરામ જન્‍મોત્‍સવને સફળ બનાવવા શહેરના ૧૮ વોર્ડના હોદ્દેદારોની મીટીંગ યોજાયેલ હતી. ત્રણ વર્ષની દિકરી ઉપર બળાત્‍કાર અને ખુન કેસમાં ધારદાર દલિલો દ્વારા ગુનેગારને આજીવન કેદની સજા અપાવવા બદલ એડવોકેટ ઉદયનભાઇ ત્રિવેદીનું સન્‍માન કરાયું હતું, આ તકે ટ્રીબ્‍યુનલ જજ જે. એન. દવે એડવોકેટ, અંશભાઇ ભારદ્વાજ, ચેતનભાઇ પંચોલી, રોહિતભાઇ રાવલ, વિક્રાંતભાઇ રાવલ, સમીરભાઇ ખીરા, નિલેશભાઇ ભટ્ટ, ચિમનભાઇ સાંકળીયા સહિતના આગેવાનોએ હાજરી આપેલ. આ મીટીંગમાંદ બ્રહ્મદેવ સમાજમાં મિલનભાઇ શુકલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના તમામ વોર્ડના હોદેદારો સાત દિવસ સુધી પરશુરામ જન્‍મોત્‍સવને અનુલક્ષીને બ્રાહ્મણ સંસ્‍કૃતિને ઉજાગર કરવાના કાર્યક્રમો કરવાનું નકકી કરેલ. આ કાર્યક્રમમાં બ્રહ્મદેવ સમાજની મહિલા પાંખને મજબુત બનાવવાના સારા હેતુથી વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવેલ તેમ બ્રહ્મદેવ સમાજના શહેર પ્રમુખ વિપુલભાઇ જાનીની યાદીમાં જણાવોલ છે.

(4:08 pm IST)