Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નાટય કલાકારોનું મિલન

જાણીતા કવિ નાટયકાર ડો. શૈલેષ ટેવાણી ૩૧ ઓકટોબરના રોજ કાર્યક્રમ અધિકારી તરીકેની દુરદર્શન કેન્દ્ર-રાજકોટની સેવામાંથી વયનિવૃત થતા આ નિમિતે નાટય કલાકારોએ ભારત સેવક સમાજ-બાલભવન ખાતે શુભેચ્છા મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ શુભેચ્છા મિલનમાં વરિષ્ઠ રંગકર્મી અમૂલખ ભટ્ટ, નલિની ઉપાધ્યાય, જયોતિ રાવલ-રાજયગુરૂ, ભરત ત્રિવેદી, જયંતી જોશી, અરવીંદ રાવલ, દિનેશ વિરાણી, રચના ત્રિવેદી, પરેશ વડગામા, નવીન વ્યાસ, દક્ષા પારેખ સહિત જુના નવા કલાકારોએ પ્રાસંગિક ઉદબોધન કરી ડો. શૈલેષ ટેવાણીને નિવૃતી પછીની કલા-સાહિત્ય જગતની સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી નિર્લોક પરમાર અને અન્ય વકતાઓએ એમની ત્રીસ વર્ષની નિષ્ઠાભરી અને અવિરામ સેવાઓની નોંધ લીધી હતી. કાર્યક્રમનું આયોજન નિર્લોક પરમાર-'ઉત્સવ એકિટંગ એકેડેમી' અને ચેતન ટાંક-'સાજન' ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. 

(4:25 pm IST)