Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદેમિલાદુન્બી નિમિતે શાનદાર ઝુલુસ

 રાજકોટ : ઇસ્લામ ધર્મના સ્થાપક નબી મોહમ્મદ રસુલ્લાહ (સ.અ.વ.) ના જન્મ દિવસ નિમિતે દાઉદી વ્હોરા સમાજ દ્વારા રાત્રે આમીલ સાહેબ મુસ્તફાભાઇની આગેવાની હેઠળ શાનદાર ઝુલુસ યોજવામાં આવ્યુ હતુ. મોહલ્લાના જનાબ આમીલ સાહેબો તથા દરેક કમીટી મેમ્બરો અને હજારોની સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના ભાઇઓ જોડાયા હતા. ઝુલુસ પૂર્ણ થયા બાદ દરેક મસ્જિદો અને મરકઝમાં ડો. સૈયદના મોહંમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.) ની વાએઝ શરીફ રીલે કરવામાં આવેલ હતી. તેનો બહોળી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજે લીધો હતો. તેમ યુસુફભાઇ જોહર કાર્ડસવાળાની યાદીમાં જણાવાયુ છે.

(3:01 pm IST)