Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા

ખવાસ રજપુત જ્ઞાતિજનો માટે ગુરૂવારે નિઃશુલ્ક મિઠાઇ-ફરસાણ વિતરણ કાર્યક્રમ

રાજકોટઃ તા.૨૦, સાતમ આઠમના તહેવાર નિમિતે દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ખવાસ રજપુત સમાજના  આર્થિક રીતે નબળા ભાળાના મકાનમાં રહેતા હોય તથા વિધવા બહેનો તેમજ વિધવા માતાઓ માટે હર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૨ના ગુરૂવારે  શ્યામ નગર ૧/૩ દેશળ દેવ હોલ, નાના મૌવા મેઇન રોડ, રાજનગર ચોક પાસે ખાતે સવારે ૧૦ થી ૧નિઃશુલ્ક અઢીસો ગ્રામ દુધની મીઠાઇ અને એક કિલો ફરસાણ વિતરણ કરવામાં આવશે. જેનો ૨૦૦ પરિવારે લાભ લેશે.

આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ (મો.૮૧૬૦૦ ૦૧૯૦૬) દેવસિંહભાઇ પરમાર, ગોવિંદભાઇ પરમાર, પિન્ટુભાઇ પરમાર, મહેન્દ્રભાઇ ચૌહાણ, બલવિરભાઇ પરમાર, સત્યજીતભાઇ પરમાર, રાહુલ સોઢા, હિતુકાકા, અનીશ ચૌહાણ, સંદીપભાઇ જાદવ, અક્ષયભાઇ જાદવ, ધવલભાઇ ચૌહાણ, કેવીનભાઇ ચૌહાણ, રવિભાઇ રાઠોડ, હાર્દિકભાઇ સીંઘવ, શશીભાઇ રાઠોડ, રાહુલભાઇ મકવાણા તથા સંસ્થાના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:11 pm IST)