Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ત્રિવેણી સોસાયટીની ૧૬II વર્ષની સગીરાને પડોશમાં રહેતો ધવલ વ્યાસ ભગાડી ગયો

રાજકોટ તા. ૨૦: સામા કાંઠે સંત કબીર રોડ પર ત્રિવેણી સોસાયટી-૧માં રહેતી સુથાર સગીરાને આ વિસ્તારનો જ  એક શખ્સ ભગાડી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે ત્રિવેણી સોસાયટીમાં રહતેાં અને સેન્ટીંગનું કામ કરતાં ગણપતભાઇ જેાઠભાઇ પુરાણીયા (સુથાર) (ઉ.૫૦)ની ફરિયાદ પરથી સંત કબીર રોડ પર જ રહેતાં ધવલ પ્રવિણભાઇ વ્યાસ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે.

ગણપતભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ૧૮મીએ પોતે સવારે સાડા અગિયારેક વાગ્યે કામ સબબ બહાર ગયા હતાં અને પત્નિ રસોઇ બનાવતાં હતાં ત્યારે ૧૬ાા વર્ષની દિકરી બાથરૂમમાં કપડા ધોવા બેઠી હતી. પત્નિ ત્યાં જોવા જતાં દિકરી જોવા મળી નહોતી. જેથી આસપાસમાં તપાસ શરૂ કરી હતી. તેણીની બહેનપણી જે આર્યનગરમાં રહે છે તેને પુછતાછ કરતાં તેણીએ કહેલ કે ધવલ નામના છોકરા સાથે તેણીને પ્રેમ છે અને બંને લગ્ન કરવા ઇચ્છે છે. આથી ધવલ જે ત્રિવેણી સોસાયટી-૧માં રહે છે તેની ઘરે જઇ તપાસ કરતાં તે હાજર ન હોઇ અને ફોન પણ બંધ આવતો હોઇ એ જ ભગાડી ગયાની શંકા હોઇ પોલીસને જાણ કરી છે.

પી.આઇ. આર. એસ. ઠાકર અને ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

(3:53 pm IST)