Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કુવાડવા રોડ સ્‍થિત શ્રી હઠિલા હનુમાનજી મંદિરે ગુરૂવારથી શ્રી રામ પારાયણ નવાહન જ્ઞાનયજ્ઞ

પૂ.વિશમ્‍બર ગિરીબાપુ કથાનું રસપાન કરાવશે

રાજકોટઃ અહિંના કુવાડવા રોડ ચામુંડા સોસાયટી શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમની સામે આવેલ સુપ્રસિધ્‍ધ શ્રી હઠીલા હનુમાનજી મંદિર શ્રી ઉમાપતિ મહાદેવ મંદિરે તા.૨૩ના ગુરૂવારથી તા.૩૧ના શુક્રવાર સુધી બપોરે ૩ થી ૬ દરમ્‍યાન શ્રી રામ પારાયણ નવાહન જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું  છે. કથામાં વ્‍યાસાસને યુવા કથાકાર હરીદ્વારવાળા શ્રી વિશમ્‍બર ગિરિબાપુ બિરાજી કથાનું સંગીતમય રસપાન કરાવશે.

૨૨મીના બુધવારે સાંજે ૫:૩૦ કલાકે પોથીયાત્રા નિકળશે. કથા દરમ્‍યાન વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે.  હનુમાનચાલીસાના પાઠ, આરતી, દીવો, થાળ નિયમીત પઠન કરવામાં આવશે. ભાવિકોને કથામૃતનો લાભ લેવા મંદિરના મહંત શ્રી હરિદાસબાપુ મો.૯૮૭૯૧ ૭૦૫૧૯ દ્વારા અનુરોધ કરાયો છે.

(5:24 pm IST)