Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શ્રી રોકડિયા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા નિરાધાર-વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ

રાજકોટ :  શ્રી રોકડિયા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ નું  આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ રાજકોટ ના ગંગા સ્‍વરૂપ બહેનો, વિકલાંગ બહેનો, તેમજ સમાજના આર્થિક રીતે નબળી પરિસ્‍થિતિ ના લોકોને દર મહિને અનાજ કીટ વિતરણ નું આયોજન કરવામાં આવે છે. જેમાં  અતિથી વિશેસ તરીકે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સંસ્‍થા ના રાજકોટ શહેર મહામંત્રી અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ શ્‍યામવાડી ટ્રસ્‍ટી  મંડળ ના સભ્‍ય ને યુવા પત્રકાર શ્રી હિતેશભાઇ રાઠોડ તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટ સમુહ લગ્નન સમિતિના પ્રમુખ શ્રી રશ્‍મિનભાઈ કાચા અને રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડ નં૧૭ ના પૂર્વ કોર્પોરેટર જયાબેન ટાંક,શૈલેષભાઈ ટાંક દ્વારા આયોજીત સમાજ ના મધ્‍યમ વર્ગના લોકો ને મદદ રૂપ થવા માટે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજ રોજ જરૂરિયાતમંદને અનાજની કીટનું વિતરણ કરવામાં આવેલં હતું જેમાં ઘઉં, ચોખા, વિવિધ મસાલા, તેલ, ચા વગેરે ૧પ દિવસનો રાશન સામાન હોય છે. આપપણ અમારા આ સેવા યજ્ઞમાં કાઈ સહકાર આપવા આપણા સ્‍વજન ના જન્‍મ દિવસ તથા યાદગાર દિવસ તથા આપના કુટુંબીજનોને તિથી નિમિત્તે આપને દાન આપી યાદગાર તથા મદદરૂપ થવા માટે શૈલેષભાઈ ટાંક રોકડિયા ચેરિટેબલ ટ્રસ્‍ટ ૫ વિરાટ નગર રાજકોટ મો,૯૯૨૫૦ ૬૯૩૨૭ / ૯૮૨૪૪ ૦૧૫૯૧ ઉપર નામ નોધાવી શકો છો. આ કાર્યક્રમમાં વોર્ડ નં ૧૭ કોગ્રેસ ના પૂર્વ કોર્પોરેટર જયાબેન ટાંક, શૈલેષભાઈ ટાંક,સહિત ભાઈઓ,બહેનો, ઉપસ્‍થિત રહીને આયોજન સફળ બનાવવામાં આવ્‍યું હતું.

(5:10 pm IST)