Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રેલનગર નજીક દયાનંદ સરસ્‍વતી ટાઉનશીપ પાછળ અજાણ્‍યા પ્રૌઢનું મોત

રાજકોટ,તા. ૨૦ : શહેરના રેલનગર નજીક સ્‍વામી દયાનંદ સરસ્‍વતી ટાઉનશીપ એક અજાણ્‍યા પ્રૌઢનું બેભાન થયા બાદ મોત નિપજતા પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રેલનગર નજીક સ્‍વામી દયાનંદ સરસ્‍વતી ટાઉનશીપની પાછળ કર્ણાવતી સ્‍કુલની પાછળ આશરે ઉ.વ. ૫૦નો અજાણ્‍યો પ્રૌઢ બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇએમટી રાજેશભાઇ પાલીયાએ તપાસ કરતા પ્રૌઢનું મોત નિપપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ કનુભાઇ માલવીયા તથા રાઇટર રવિભાઇ ચાવડાએ સ્‍થળ પર પહોંચી પ્રૌઢના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જો કોઇ આ પ્રૌઢના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:57 pm IST)