Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

આધારકાર્ડમાં સુધારા માટે ધસારોઃ મનપામાં માર્ચમાં જ પ હજાર અરજી

રાજકોટ તા. ૧૮ : તા. ૩૧ માર્ચના નાણાંકીય વર્ષ પૂર્ણ થાય તે પૂર્વે પાન-આધાર લિંક કરાવવા ફરજિયાત થતા દરરોજ ૩૦૦ જેટલી આધારકાર્ડની સુધારા અરજી આવી રહી છે. ચાલુ મહિનામાં જ ફકત કોર્પોરેશનમાં પ૦૦૦ થી વધુ સુધારા અરજીઓ છે. હાલ ત્રણેય ઝોન કચેરીમાં કુલ ૧૪ કીટ કાર્યરત છે. બેંકો, પોસ્‍ટ ઓફિસો વિગેરે આધાર કેન્‍દ્રો ધરાવતા સ્‍થળોએ પણ ધસારો છે.મોબાઇલ નંબર અને ઇમેઇલ આડી રજિસ્‍ટર્ડ કરાવવા, નોંધાયેલા હોય તો અપડેટ કરવા સૌથી વધુ અરજીઓ. આધાર-પાન લિંક ન હોય તેને જીએસટી અને આઇટી રીટર્ન ભરવામાં થશે ભારે મુશ્‍કેલી.

(3:48 pm IST)