Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ઉદયનગરમાં ૭૨ વર્ષિય હેમતસિંહ ઝાલાએ ફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લીધો

કોરોનામાં પત્‍નિનું મૃત્‍યુ થયું ત્‍યારથી સતત દુઃખી રહેતાં હતાં

રાજકોટ તા. ૨૦: મવડી પ્‍લોટના ઉદયનગર-૧માં રહેતાં હેમતસિંહ ફતેહસિંહ ઝાલા (ઉ.વ.૭૨) નામના વૃધ્‍ધે કોરોનાને કારણે અવસાન પામેલા પત્‍નિના વિયોગમાં આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હેમતસિંહ ઝાલાએ સાંજે ઘરમાં પંખાના હુકમાં દોરી બાંધી દેહ લટકાવી દીધો હતો. પરિવારજનોને જાણ થતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ વનીતાબેન બોરીચાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હેમતસિંહને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે પુત્ર, પુત્રવધૂ સહિતની સાથે રહેતાં હતાં.

તેમના પત્‍નિનું કોરોનામાં અવસાન થયું હતું. ત્‍યારથી તેઓ તેમને યાદ કરતાં રહેતાં હતાં અને દુઃખી થતાં હતાં. તેમના વિયોગમાં આ પગલુ ભરી લીધું હતું.

(3:27 pm IST)