Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણ મહોત્‍સવ અંગે મીટીંગ

રાજકોટઃ આગામી તા.૧ એપ્રિલને મંગળવારે શ્રમણ ભગવાનશ્રી મહાવીર સ્‍વામીની ૨૬૨૧મી જન્‍મ કલ્‍યાણકની રાજકોટ સમસ્‍ત જૈન સમાજ આયોજીત અને જૈનમ ગ્રુપ દ્વારા ભવ્‍યાતિ ભવ્‍ય રીતે ઉજવણી સંદર્ભે ગત રાજકોટ જૈન સમાજનાં શ્રેષ્‍ઠીઓ, સ્‍થાનકવાસી-દેરાવાસી, દિગંબર શ્રીમદ રાજચંદ તેમજ તેરાપંથી સંઘોના પદાધીકારીઓ તેમજ રાજકોટના તમામ જૈન સોશ્‍યલ ગ્રુપો, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્‍ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્‍યલ ગ્રુપનાં હોદેદારશ્રીઓની વિશેષ હાજરીમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના મધ્‍યસ્‍થ હોલ ખાતે એક અગત્‍યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ મીટીંગમાં દાદાવાડી દેરાસરમાં પ્રમુખશ્રી જીતુભાઇ દેસાઇ, સ્‍થાનકવાસી જૈન મોટા સંઘના ટ્રસ્‍ટીશ્રી ડો.રાજુભાઇ કોઠારી, જૈન શ્રેષ્‍ઠીવર્યશ્રી જયોતિન્‍દ્રભાઇ મહેતા(જયોતીન્‍દ્ર મામા) દ્વારા શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવને કંઇ રીતે ઉજવણી કરી શકીએ તે અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવેલ જૈનમ વતી જીતુભાઇ કોઠારી, જયેશભાઇ વસા અને સુજીતભાઇ ઉદાણી ઉજવણી વિશે વિસ્‍તૃત માહીતી આપેલ હતી. અંતમાં આભારવિધિ નિલેશભાઇ કામદારએ તથા કાર્યક્રમનું સંચાલન દર્શનભાઇ શાહ દ્વારા કરવામાં આવેલ

(3:26 pm IST)